Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 325 કેસ નોંધાયા : વધુ 272 દર્દીઓ સ્વસ્થ થયા : મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ બોર્ડરે તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાશે : રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પર વ્યવસ્થા : વધુ એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4406 : કુલ 2,61,281 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 10 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 67,300 લોકોને રસી અપાઈ : કુલ 8,13,582 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે અમદાવાદમાં 72 કેસ, વડોદરામાં 68 કેસ, સુરતમાં 52 કેસ, રાજકોટમાં 42 કેસ, કચ્છમાં 10 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જામનગરમાં 9 કેસ, જૂનાગઢમાં 8 કેસ, ખેડામાં 7 કેસ, નર્મદામાં 6 કેસ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 1732 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 325 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 264 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે

 આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 325 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 272 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,61,2281 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં  મૃત્યુઆંક  4406 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,70 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે બીજા તબક્કામાં વધુ કુલ 67,300 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,13,,582 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1732 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1702 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,61,281 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 315 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 72 કેસ, વડોદરામાં 68 કેસ, સુરતમાં 52 કેસ, રાજકોટમાં 42 કેસ, કચ્છમાં 10 કેસ, ગાંધીનગરમાં 10 કેસ,જામનગરમાં 9 કેસ, જૂનાગઢમાં 8 કેસ,ખેડામાં 7 કેસ, નર્મદામાં 6 કેસ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા હતા

(8:02 pm IST)