Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાજપ પેજ કમિટિના પરપોટો ફુટ્યો, લોકો બહાર ન નિકળ્યા

ઓછા મતદાનથી કોંગ્રસ-ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ : ભાજપના કાર્યકરો સ્વખર્ચે મતદારોને મતદાન મથક સુધી લાવવા વાહનોની ગોઠવણ કરતા હતા એનાથી દૂર રહ્યા

ગાંધીનગર, તા. ૨૨ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરોમાં સત્તાના સમીકરણ માટે રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન મતદારોના નિરુત્સાહથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. મતદારોમાં કોરોનાનો ડર હતો કે મોંઘવારી, બેરોજગારી તેમજ પેટ્રોલ ડીઝલ રાંધણગેસના ભાવ વધારા પ્રત્યેનો ઉગ્ર રોષ તો પરિણામો પછી સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો દેખિતી રીતે ભાજપની પેજ કમિટિનો પરપોટો ફૂટી ગયો હોય એવુ સ્પષ્ટ થાય છે કેમ કે મતદાનના પ્રથમ પાંચ કલાકમાં મહાનગરોમાં વીસ ટકાથી ઓછા મતદાનના કારણે કમલમ્?થી તમામ છયે મહાનગરોમાં તમામ નેતાઓનો સંપર્ક કરી લોકો મતદાન કરવા બહાર નીકળે એના માટે દોડાવવા સૂચના આપવી પડી હતી.

ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય મેદાને નથી એમ સતત કહેતા રહ્યા હતા એટલે સંભવ છે કે ભાજપનો કાર્યકર પણ નિશ્ચિંત થઇને બેસી રહ્યો કે, પોતાના પક્ષનો વિજય થવાનો છે ને ?!. પણ વખતે સવારે ૭થી બપોરના ૧૨ વાગ્યા સુધીના પાંચ કલાકમાં અમદાવાદ સહિતના છયે મહાનગરોમાં છુટાછવાયા મતદારો મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કરવા પહોંચી ગયા હતા.

ભાજપ પ્રમુખે પેજ કમિટી, પેજ પ્રમુખોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલી માઇક્રો મેનેજમેન્ટની રણનીતિમાં ક્યાંક મોટા પાયે ચૂક જણાઇ આવી હતી. પેજ કમિટીઓ મોટાભાગે બારોબાર ફોટા લઇને નામો લખી કાગળ પર બનાવાઇ હોય એવુ જણાય છે. જોકે, અંગે કારણ આપતાં ભાજપના કાર્યકરો કહે છે કે, વખતે ભાજપે તેના કાર્યકરો પાછળ જોઇએ એવુ ધ્યાન આપ્યું નથી. કાર્યકરોને પણ મોંઘવારી, ભાવ વધારો નડે છે. આથી ભાજપના કાર્યકરો અત્યાર સુધી સ્વખર્ચે મતદારોને મતદાન મથક સુધી લાવવા લઇ જવાના વાહનોની ગોઠવણ કરતો હતો એનાથી દૂર રહ્યો છે એમાં એક કારણ કોરોનાની મહામારી પણ હશે. આની સાથે અમદાવાદ સહિત મહાનગરોમાં એક સાથે ૩૦૦ કોર્પોરેટરોને પડતાં મુકી નવા ચહેરાથી મેદાનમાં ઉતરવાના પાર્ટીના નિર્ણયથી હોદ્દેદારો સાથે મોટો વર્ગ સમુહ નારાજ થયો હોય એવુ પણ સ્પષ્ટ થાય છે. કાર્યકરોએ મતદારોને મતદાન માટે ઘરની બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ કર્યો નહતો.

બીજી તરફ સમગ્ર સ્થિતિ ગંભીર જણાતા બપોરે બાર વાગે પ્રદેશ કાર્યાલયથી મહાનગરોના ચૂંટણી નિરીક્ષકો, પ્રભારીઓ, ધારાસભ્યો સાંસદોને ટેલિફોન કરી લોકોને મતદાન માટે બહાર કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ખાસ કરીને બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ, નવરંગપુરા જેવા વિસ્તારોમાં મતદાન બપોર પછી થોડું સક્રિય જણાયું હતું. સંજોગોમાં પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ અને અમદાવાદ મહાનગરના પ્રભારી આઇ.કે. જાડેજાએ કહ્યું કે, મતદારો મતદાન કરવા નીકળવામાં આળશ કરતાં હોય જણાતા અમે સાંસદો, ધારાસભ્યો, બુથ કમિટીઓ, પેજ કમિટીઓ, પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રો, લોકસભા પ્રભારીઓ, વિધાનસભા પ્રભારીઓનો રૂબરૂ, ટેલિફોનથી સંદેશા મોકલીને વધુને વધુ મતદાન થાય એના પ્રયાસો કરવા કાર્યકરોને દોડાવવા સૂચના આપી હતી. અમદાવાદ મહાનગરમાં ઘણાં સમય પછી પહેલી વખત કોંગ્રેસના બુથ દિવસ દરમિયાન ધમધમતાં રહ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદના અનેક વોર્ડમાં મતદારોને સ્લીપ પહોંચાડીને નવો રેકોર્ડ રચ્યો હતો. પણ કાર્યકરો પોતાના મતદારોને મતદાન કરવા સક્રિય કરી શક્યા નહતા કેમ કે કોંગ્રેસની પકડવાળા કોટ વિસ્તાર, પૂર્વ અને દક્ષિણના વિસ્તારોમાં પ્રમાણમાં મતદાન ઘણું ધીમું અને નબળું રહ્યું હતું.

(7:38 pm IST)