Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આણંદમાં પાન-માવાની દુકાનો ભીડના લીધે બંધ કરાઇ

આણંદઃ લોકડાઉનમાં મળેલ છુટછાટોમાં પાન મસાલાની દુકાનોએ ભીડ એકત્ર થવાથી બંધ કરવી પડી હતી. લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા ન હતા. ઉપરાંત પાન-માવાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં પણ લાંબી લાઇનો લાગી હતી. ઘણા હોલસેલ વેપારીઓને ત્યાં છુટક વેચાણ કરતા દુકાનદારો અને બંધાણીઓ મોટી સંખ્યામાં ઉમટતા પોલીસ બોલાવવી પડેલ જયારે અમુક દુકાનો બંધ કરવી પડેલ. ઉપરાંત લોકડાઉનમાં પાન-માવાનું ઉત્પાદન બંધ હોવાથી હાલ માલની પણ અછત સર્જાઇ છે. 

(3:00 pm IST)