Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોક-ડાઉનને કારણે સમયનો સદઉપયોગ કરીને, SGVP ગુરુકુલના સંતોએ રામ શ્યામ અને ઘનશ્યામ ભગવાનને ફુલના વાઘા ધરાવ્યા

અમદાવાદ તા.૨૨: ભારતમાં ઠેર ઠેર કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે લોક-ડાઉનને કારણે લોકો પોતાના રહેઠાણમાં જ રહીને વિવિધ ઘાર્મિક આયોજનો-ઉત્સવો ઉજવતા હોય છે, ત્યારે પવિત્ર વૈશાખ માસમાં SGVPના શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, ગુરુકુલના બગીચામાં થતા ગુલાબ મોગરો વગેરેના ફુલોથી, SGVP ગુરુકુલના સંતોએ, લોક-ડાઉનને કારણે, સમયનો સદઉપયોગ કરીને, SGVPહોસ્ટેલમાં બિરાજીત શ્રી સીતા રામ ભગવાન, શ્રી રાધા કૃષ્ણ ભગવાન અને શ્રી ઘનશ્યામ મહારાજને ભક્તિભાવ પૂર્વક ફુલના વાઘા ધરાવ્યા હતા.

(11:34 am IST)