Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

માર્ગ મકાન વિભાગના પ અધિક્ષક ઇજનેરોની બદલીઃ ૧૮ કાર્યપાલકને અધિક્ષક ઇજનેર તરીકે બઢતી

રાજકોટના એસ.સી.પટેલની વડોદરા અને એમ.પી.ત્રિવેદીની ગાંધીનગરની બદલીઃ ગાંધીનગરના એન.જી.શીલુ અને આર.સી.ચૌહાણ રાજકોટમાં

રાજકોટ, તા., ૧૩: રાજયના માર્ગ મકાન વિભાગ દ્વારા પ અધિક્ષક ઇજનેરોની બદલી કરવામાં આવી છે તેમજ કાર્યપાલક ઇજનેર કક્ષાના ૧૮ અધિકારીઓને અધિક્ષક ઇજનેર તરીકે બઢતી સાથે બદલવામાં આવ્યા છે. આ અંગે વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટની સહીથી હુકમ જાહેર થયા છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

રાજકોટ શહેરના એમ.પી.ત્રિવેદીને બઢતી સાથે પાર્ટનગર યોજના વર્તુળ ગાંધીનગર તથા બોટાદના સી.એમ.ડામોરને રાજકોટમાં પંચાયત વર્તુળ-ર માં મુકવામાં આવ્યા છે. ગાંધીનગર યુનીટ-રના એન.જી.શીલુને રાજકોટ વતુૃળ-રમાં, જીઆઇડીસીના આર.સી.ચૌહાણને રાજકોટ વર્તુળ-૧માં અધિક્ષક ઇજનેર તરીકે બઢતી સાથે બદલવામાં આવ્યા છે.

અધિક્ષક ઇજનેર કક્ષાએ પ અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેમાં રાજકોટ વર્તુળ-રના એસ.સી.પટેલની નિમણુંક રાષ્ટ્રીય ધોરી માર્ગ વર્તુળ વડોદરા ખાતે કરવામાં આવી છે.

(4:24 pm IST)