Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદ: બાપુનગરમાં વ્યાજખોરોનો આતંક: વ્યાજની મોટી રકમ વસૂલ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:શહેરમાં વ્યાજખોરો ફરીથી માથુ ઉચકી રહ્યા છે. બાપુનગરમાં ફર્ટનો વ્યવસાય કરતા વેપારીએ ધંધા માટે ફાયનાન્સરો પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરોએ ઉંચુ વ્યાજ અને પેન્લટી વસુલવાનું શરૂ કર્યું હતું. વેપારીની જીપ અને બુલેટ પણ પડાવી લઈ જાનથી મારવાની ધમકી આપતા વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય બનાવમાં નવરંગપુરાના વેપારીએ ન્યુ કલોથ માર્કેટના વ્યાજે આપતા વેપારી પાસેથી 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વેપારીએ સ્કિયુરિટી માટે આપેલા મિલ્કતના દસ્તાવેજો પરત માંગતા આરોપીએ 50 લાખ માંગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:59 pm IST)