Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમીરગઢમાં આદિવાસી મજૂરે ખેતર માલિકની કુહાડીથી હત્યા કરી ફરાર

મોડીરાત્રે ખેતરમાં સુતેલા રાયમલભાઈને કુહાડીના ઘા ઝીકી પતાવી દીધા

કાંકરેજના અમીરગઢમાં 22 વર્ષની ઉંમર ધરાવતો આદિવાસી મજૂર દ્વારા ખેડૂત ઉપર હિંચકારો હૂમલો કરી હત્યા કરાઈ છે મોડી રાત્રે દિનેશ રાયમલભાઈ ચૌધરી પોતાના ખેતરમાં સુઈ રહ્યા હતા. આ દરમિયાન હત્યારાએ કુહાડી લઈ ખેતરમાં પહોંચ્યો હતો.અને રાયમલભાઈ ઉપર ઉપરાછાપરી કુહાડીના ઘા માર્યા હતા. અને આરોપી પોતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જેની જાણ લોકોને થતાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકને પીએમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે પોલીસ એ તપાસમાં લાગી છે કે, આરોપીએ કયા કારણોસર ખેડૂતની હત્યા કરી છે.

(9:45 pm IST)