Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

રાજ્યમાં ભારે વરસાદથી 221 રસ્તાઓ બંધ :158 ગામોમાં અંધારપટ્ટ

પાણી ફરી વળતા રસ્તાઓનું ધોવાણ :વાહન વ્યવહાર ઠપ્પ :અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરાવ્યો

 

અમદાવાદ : રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ છેલ્લા બે ચાર દિવસોમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થયો હતો જેના કારણે સંખ્યાબંધ રોડ રસ્તા ધોવાઈ ગયા છે. રાજ્યમાં કુલ 221 રસ્તાંઓ બંધ કરવા પડ્યાં હતા. પંચાયત હસ્તકના 200 રસ્તાં બંધ કરાયાં છે. 7 સ્ટેટ હાઈવે તેમજ 15 અન્ય રસ્તાં બંધ કરાયાં છે. વરસાદના પાણી રસ્તા પર ફરી વળતાં આવા રસ્તાઓ ધોવાઈ ગયા હતા

 

અને તમામ રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરાયો છે. તો બીજી બાજુ 158 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ જેવી હાલત છે. અંદાજે 80 હજારથી વધુ લોકો વીજળી વગર હાલાકીમાં મુકાયા છે. તંત્ર સમારકામ કરી વીજ વ્યવહાર ફરી શરૂ કરવાના પ્રયાસો કરાતો હોવાનો દાવો કરી રહ્યું છે.

 

(8:42 am IST)