Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાવેણાના શહીદ દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહને તિરંગામાં લપેટી અમદાવાદ લવાયો:એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ

એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદઃજમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના વલ્લભીપુરના કાનપરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો એરપોર્ટ પર શહીદ  દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

   એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને અહીં શ્રદ્ધાંજલિ આપી હતી  જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
   ભાવનગરનાં દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા હતા. તેઓ વલભીપુરનાં કાનપર ગામનાં રહેવાસી હતા.આ મામલે પરિવારનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અખનૂર સેક્ટરમાં જવાન અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની વાન કોઇક કારણોસર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
શહીદ દિલીપભાઇ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. તેમને ત્રણ બહેનો છે. સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં. પરિવારનાં માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતા પરિવાર દુખમાં સરી પડ્યો છે

(11:18 pm IST)