Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દિયોદર પાસે નર્મદા કેનાલમાં મહિલા અને બાળકની તરતી લાશ મળી આવતા ચકચાર

બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા

 

બનાસકાંઠાની નર્મદા કેનાલોમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો ચાલુ છે દિયોદર તાલુકાના વડીયા નજીકની કેનાલમાંથી પણ અજાણી મહિલા અને બાળકની લાસ મળી આવતા અરેરાટી મચી ગઇ છે.

  વડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં કોઈ અજાણી મહિલા અને બાળકની લાસ તરતી જોવા મળતા સ્થાનિક રહીશોએ દિયોદર પોલીસનું ધ્યાન દોર્યું હતું જેના પગલે દિયોદર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સ્થાનિક લોકોની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢી દિયોદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા

  . જોકે બન્ને મૃતકોની ઓળખ થઈ નથી જેથી મહિલા અને બાળક કોણ છે અને કેનાલમાં તેમના મૃતદેહ કયાંથી આવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:00 pm IST)