Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ધોલેરામાં મતિની ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા :બે ના મોત

મૃતકોને ધંધુકા સરકારી હોસ્પિટલેમાં પીએમ માટે ખસેડાયા

 

અમદાવાદના ધોલેરામાં માટીની ભેખડ પડતા બે મજૂરોના મોત થયા હતા. ધોલેરામાં આવેલી એલ એન્ડ કંપનીમાં અંન્ડરગ્રાઉન્ડ સેન્ટીગનું કામ કરતા માટીની ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા હતા.

  મૃતકોને ધંધુકા સરકારી હોસ્પિટલેમાં પીએમ માટે ખસેડાયા હતા. ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી.

 

(10:44 pm IST)