Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અંબાજીમાં મેઘરાજાને રીઝવવા શાળા - કોલેજો અને બજારો સ્વયંભુ બંધ : તબીબોએ પણ સહકાર આપ્યો

શ્રદ્ધાળુઓ માટે ભોજનાલય સંચાલકો દ્વારા અંબાજી અને ગબ્બરમાં રસોડા ચાલુ

અંબાજી ;શક્તિપીઠ અંબાજીમાં મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થના કરવા મટે ઉજાણી કરવાનું આયોજન કરાયું હતું આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે આ બંધને તબીબો દ્વારા પણ સહકાર અપાયો હતો  ગત રોજ અંબાજી ખાતે વરસાદને રિઝવવા રામધૂન કરાવવામાં આવી હતી

સમયસર વાવણી કર્યા બાદ ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીના રહેવાસીઓ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે.

  આ પ્રયાસમાં અંબાજી નગરજનો દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઉજાણી કરવાનું આયોજન કરાયું છે. અંબાજી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ કલ્પના પટેલ દ્વારા અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ લેખિતમાં રજા જાહેર કરવા અંગે માહિતગાર કરાયા હતા. ત્યારે આજે ગુરુવારના રોજ સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે

  અંબાજી યાત્રાધામ હોવાથી અહી રોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ઉજાણીમાં શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ન પડે તેનુ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ ભૂખ્યા ન રહે તે માટે ભોજનાલય સંચાલકો દ્વારા અંબાજી અને ગબ્બર ખાતે રસોઈમાં વધારો કરી જરૂર પડ્યે રસોડા ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.

(2:09 pm IST)