Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ધાનેરામાં આશાસ્પદ યુવકનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

પાકીટમાં ડ્રાયવિંગ લાયસન્સથી વેપારી વાસનો યુવાન મુસ્લા આદમભાઈ નુરાભાઈ હોવાનું ખુલ્યું

ધાનેરા : ધાનેરામાં યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. આજે સવારે ધાનેરા રેલવેના કર્મચારીને રેલ નદીના પુલ પાસે યુવક કપાયેલી લાશ જોવા મળતા તેઓએ ધાનેરા પોલીસને જાણ કરી હતી. જ્યારે યુવકના કપડામાંથી પાકીટ મળી આવતા તેમાં રહેલા ડ્રાયવિંગ લાયસન્સથી જાણવા મળ્યું હતુ કે, યુવક ઘટના સ્થળના બાજુના જ વેપારી વાસનો યુવાન મુસ્લા આદમભાઈ નુરાભાઈ છે. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક યુવકના પરિવાર જનોને જાણ કરવામાં આવતા યુવકની ઓળખ થવા પામી હતી

  . આ સમાચાર પ્રસરતા લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. જે બાદ લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અપરણિત આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું

(7:40 pm IST)