Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે યુવાન દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો

સુરત:મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલમાં કેઝ્યુલીટી વિભાગમાં આજે સવારે મૃતકના સંબંધીઓએ ડોકટરની બેદરકારીથી સ્વજનનું મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ડોકટરે ઇન્જેકશન આપ્યા બાદ દર્દીનું મોત થયાનો આક્ષેપ હતો. જ્યારે ડોકટરે કહયું કે દર્દી આવ્યું ત્યારે જ મૃત હાલતમાં હતું.

વરાછા લંબેહનુમાન રોડ પર દલિત વસાહતમાં રહેતા ત્રણ સંતાનના પિતા એવા ૩૫ વર્ષીય રત્નકલાકાર સાંઇપ્રસાદ ઉર્ફેૅ પવનકુમાર જીતુસિંગ કોળીની આજે સવારે ઘરે જ તબિયત બગડતા સ્મીમેરમાં લઇ જવાયા હતા. જ્યાં કેઝયુલીટી વિભાગમાં તેમને મૃત જાહેર કરાયા હતા. ડોકટરે મૃત્યુનં જાહેરાત કર્યા બાદ તેમના પરિવાર અને સબંધીઓ રોષે ભરાયા હતા. અને હંગામો મચાવ્યો હતો. 

(5:39 pm IST)