Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

15મીએ અલ્પેશ કથિરીયાના રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ કરવા અંગેની અરજીનો ચુકાદો

 

સુરત : પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટેની કરાયેલી અરજીમાં બંને પક્ષોની દલીલો સુરત જીલ્લા કોર્ટમાંકરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ હવે કોર્ટ 15મી જાન્યુઆરીનાં રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.

સરકાર પક્ષ દ્વારા અલ્પેશ સામે થયેલી ફરિયાદો, તેના અપશબ્દો વાળી સીડી તથા સોશિયલ મીડિયાના મેસેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો બચાવ પક્ષે પોલીસ દ્વારા દ્વેષભાવ રાખી કાર્યવાહી કરવા સહિતના મુદ્દે દલીલો કરી હતી.

(12:45 am IST)