Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ

સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૧૨૬૩થી ઉપર : અમદાવાદમાં ૧૮ નવા કેસ થયા : ગુજરાતમાં ૫૯ નવા કેસ સપાટી પર આવ્યા : સ્વાઈન ફ્લુને રોકવાના પ્રયાસો

અમદાવાદ, તા.૧૧ : સ્વાઈન ફ્લુનો આંતક સમગ્ર રાજ્યમાં જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે આજે સ્વાઈન ફ્લુના ૫૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના નવા ૧૮ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે સુરતમાં ૧૦, વડોદરામાં પાંચ, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં ૩-૩ નવા ેસ સપાટી ઉપર આવ્યા હતા. બીજી બાજુ સ્વાઈન ફ્લુગ્રસ્ત દર્દી હજુ પણ મોટી સંખ્યામાં સારવાર હેઠળ છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૩૬૯ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો સત્તાવારરીતે ૩૧ ઉપર પહોંચ્યો છે પરંતુ આ વર્ષે હજુ સુધી આંકડા ઉપર અવિરત નજર કરવામાં આવે તો મોતનો આંકડો ૪૮ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૃરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૭ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૪૮ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૨૬૧થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોેંધાય તેવી શક્યતા છે.

 

સ્વાઈન ફ્લુનો આતંક....

અમદાવાદ, તા.૧૧ : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણના મોત થયા છે. સેંકડો સ્વાઈન ફ્લુ ગ્રસ્ત દર્દી હજુ સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં પુરતી સારવાર આપવામાં આવી રહી છે. કિલર બનેલા સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

કુલ કેસોની સંખ્યા...................................... ૧૨૬૩

વધુ મોત......................................................... ૦૩

સપ્ટેમ્બર મહિનામાં મોત.................................. ૧૮

કુલ મોતની સંખ્યા........................................... ૪૮

અમદાવાદમાં નવા કેસ.................................... ૧૮

૨૪ કલાકમાં કેસો નોંધાયા............................... ૫૯

દર્દી સારવાર હેઠળ....................................... ૩૬૯

 

સ્વાઈન ફ્લુના નવા કેસો

અમદાવાદ, તા.૧૧ : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના છેલ્લા ૨૪ કલાકના કેસો નીચે મુજબ છે.

અમદાવાદ...................................................... ૧૮

સુરત.............................................................. ૧૦

વડોદરા.......................................................... ૦૫

ગાંધીનગર...................................................... ૦૩

સાબરકાંઠા....................................................... ૦૩

પાટણ............................................................. ૦૩

મહેસાણા......................................................... ૦૨

અન્યત્ર............................................................ ૩૩

(8:43 pm IST)