Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગુજરાત ભાજપના સાત મોરચાને લોકસભા ચૂંટણીમાં સક્રિય બનાવાશે

મોરચાઓનું ફરીથી ગઠન : નવા લોહીને હોદ્દાઓની તક

અમદાવાદ :ગુજરાત ભાજપના સાત જેટલા મોરચાના આગેવાનોને લોકસભાની ચૂંટણીમાં સક્રિય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મોરચનાનું ફરીથી ગઠન પણ કરવામાં આવી રહ્યું છે અને નવા લોહીને હોદ્દાઓની તક આપવામાં આવે છે. ભાજપ સાથે તેના અલગ અલગ મોરચા છે. પાર્ટીએ અનુસૂચિત જાતિ અને જનજાતિ, યુવા મોરચો, કિસાન મોરચામાં નવી નિયુક્તિ કરી દીધી છે. મહિલા, બક્ષીપંચ અને લધુમતિ મોરચામાં નિયુક્તિ બાકી છે.

(12:41 pm IST)