Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કરમસદમાં સરદાર વલ્લભભાઇ પટેલના પૂર્વજોના ઘરે અખંડ જ્યોતના બદલે અેલઇડી બલ્બ લગાવી દેવાતા ભારે વિવાદ

કરમસદઃ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના પૂર્વજોના ઘરે સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા અખંડ જ્યોતના બદલે અેલઇડી લેમ્પ લગાવવામાં આવતા ભારે હોબાળો થયો છે.

સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા કરમસદમાં આવેલ 150 વર્ષ જૂના સરદાર પટેલના ઘરની જાળવણી કરવામાં આવી રહી છે. દેશના પહેલા વડાપ્રધાને આ ઘરમાં જ પોતાનું બાળપણ વિતાવ્યું હતું.

મંગળવારે સરદાર પટેલના ઘરે એકઠા થયેલાં ટોળાંએ ટ્રસ્ટે લીધેલા આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યું હતું. આ ગામના રહેવાસી અમીત રબારીએ કહ્યું કે, “અમે બહુ દુઃખી થયા છીએ, ટ્રસ્ટીએ આવડું મોટું પગલું ભરતા પહેલાં સ્થાનિકો અને વડીલો સાથે ચર્ચા કરવી જોઈતી હતી. કેટલાય પીએમ અને મોટી મોટી હસ્તીઓએ અખંડ જ્યોતની અંજલિ લેવા માટે કરમસદની મુલાકાત લીધી હતી.

અન્ય એક સ્થાનિક નિરવ સોલંકીએ કહ્યું કે, ” શર્મનાક બાબત છે કે સરદાર પટેલના નામે તેઓ વોટ મેળવી જાય છે પણ જ્યોત પ્રજ્વલિત રાખવા માટે તેઓ 100 ગ્રામ ઘી નથી ખર્ચી શકતા.અન્ય એક સ્થાનિકે કહ્યું કે જો ટ્રસ્ટ કે કરમસદ નગરપાલિકા જ્યોત પ્રજ્વલિત રાખવા માટે જરૂરી ઘી કે ઓઈલનો ખર્ચો ન પરવડતો હોય તો તેઓ સ્વચ્છાએ ઘી અને ઓઈલ આપવા તૈયાર છે.

સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ યુનિટના પ્રેસિડન્ટ અમિત ચાવડાએ પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને ઐતિહાસિક ધરાહરો પર પરંપરા યથાવત રહે તેવી ટ્રસ્ટ અને સરકારને ખાતરી કરવાની માગણી કરી હતી. ચાવડાએ કહ્યું કે, “સરદારના ઘરની મુલાકાત લેવા જાય છે તે લોકોના વિશ્વાસ અને માન્યતાની આ બાબત છે. અખંડ જ્યોત જોઈને તેઓ એવું ફિલ કરતા હોય છે કે સરદાર અહીં હજુ જીવંત છે.

સરદાર પટેલ ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે, “હેરિટેજ એક્સપર્ટ અને સંરક્ષકોની સલાહ બાદ જ અખંડ જ્યોતને એલઈડી બલ્બ સાથે બદલવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.સરદાર પટેલ ટ્ર્સ્ટના સેક્રેટરી હસમુખભાઇ પટેલે કહ્યું કે, “સરદારનું ઘર ઐતિહાસિક ધરોહર હોવાથી કેટલાક નિષ્ણાંતોએ સલાહ આપી હતી કે 24 કલાક જ્યોત પ્રગટાવી રાખવાથી આગ લાગવા જેવી દુર્ઘટના સર્જાય શકે છે અને તેને કારણે બિલ્ડિંગને નુકસાન પહોંચી શકે છે.

હસમુખ પટેલે કહ્યું કે, “તમામ લોકો માટે સરદારનું ઘર ખુલ્લું રહે છે. ત્યારે નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ અમે 24 કલાક જ્યોત પ્રજ્વલિત રાખવાનું રિસ્ક ન લઈ શકીએ.આગળ ઉમેર્યું કે ટ્રસ્ટે બે મહિના પહેલાં અખંડ જ્યોતને એલઈડી બલ્બ સાથે રિપ્લેસ કરી હતી અને આ આર્ટિફિશિયલ લેમ્પને ચાલુ રાખવા માટે ઇન્વર્ટર સાથે કનેક્ટ કરવામાં આવ્યો હતો.

અખંડ જ્યોત છેલ્લા 50 વર્ષથી સતત પ્રજ્વલિત હોવાની વાતને હસમુખ પટેલે રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, “8-10 વર્ષ પહેલાં નળિયાદથીં કેટલાક યુવાનો સરદારના ઘરે અખંડ જ્યોત લાવ્યા હતા ત્યારથી આ પરંપરા શરૂ થઇ ગઇ હતી.ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલની જાળવણી પણ કરવામા આવી રહી છે.

(7:29 pm IST)