Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

એક તરફી પ્રેમમાં પાગલ અમદાવાદી વિદ્યાર્થિનીએ પ્રેમીના ઘરે ફિનાઈલ ગટગટાવ્યું

અમદાવાદ :સ્થિત રહેતી અને નર્સીગનો અભ્યાસ કરતી યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે આપઘાત કરવાની કોશીષ કરતા ચકચાર જાગી છે. યુવતીએ પોતાના પ્રેમીના ઘરે જઈ ફીનાઈલ ઘટઘટાવી દેતા તેણીની તબિયત લથડી છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે જાણવાજોગની નોંંધ કરી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદમાં સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્ષમાં સિગ્માબેન સિરીલભાઈ ખ્રિસ્તી (ઉં.વ.૨૫) રહે છે. તેઓ પોતાની માતા અને ભાઈ સાથે રહે છે. સિગ્માબેન પોતે નર્સીગનો જી.એન.એમનો અભ્યાસ કરે છે. આ અભ્યાસના સમયમાં તેણી નડિયાદના પવનચક્કી રોડ ઉપર આવેલ કારમેલ સોસાયટીમાં રહેતા પંકિત પ્રભુતભાઈ ખ્રિસ્તીના સંપર્કમાં આવી હતી. આ બાદ સિગ્મા પંકીતના પ્રેમમાં પડી ગઈ હતી. જોકે પંકિતે આ વાતને પહેલા પ્રાધ્યન્ય આપ્યુ અને ત્યાર બાદ થોડા દિવસોથી તે અન્ય કોઈ યુવતી સાથે હોવાની વાત સિગ્માબેનને માલુમ પડી હતી. આથી એક તરફી પ્રેમમમાં પાગલ બનેલ સિગ્માબેને પોતાના પ્રેમને પામવા માટે ગઈકાલે સમી સાંજે નડિયાદ પોતાના પ્રેમી પંકીતના ઘરે આવી પહોંચી હતી. જ્યાં આવેશમાં આવી સિગ્માબેને ફીનાઈલ ઘટઘટાવી દીધુ હતું. આ બાદ તેણીની તબિયત લથડતા પ્રથમ સારવાર નડિયાદ સિવિલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે ર્ડાક્ટરની ફરિયાદના આધારે જાણવાજોગની નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત પંકીત ખ્રિસ્તી પોતે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં નોકરી કરે છે. સાથે સાથે તે અન્ય યુવતી સાથે પ્રેમમાં હોવાને કારણે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ યુવતીએ આ પગલુ ભર્યુ હોવાની વિગતો આપી છે.
 

(5:39 pm IST)