Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ખેડા જિલ્લાના પીઠાઇ અને મહુધામાં અપમૃત્યુના બે બનાવમાં બે મોતને ભેટ્યા

ખેડા: જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ તેમજ મહુધા ખાતે બનેલા અપમૃત્યુના બે કેસો નોંધાવા પામ્યા છે. જે અંગે પોલીસે અકસ્માતે મોતના ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલનો ફિરોજહુશેન કાદરભાઈ કુરેશી મહુધા ખાતે પોતાના મામાના ઘરે રહેતો હતો. ગત તા.૧૨-૫-૧૮ના રોજ ફિરોજ ઘરે એકલો હતો ત્યારે ઘરમાં ગળે ફાંસો ખાઈ લટકી ગયો હતો. આ બનાવની જાણ થતાં તેના મામા ફિરોજહુશેન કુરેશીને તુરંત સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. જ્યાં મેડીકલ ઓફિસર ડો. અરવિંદ શર્માએ ફિરોજકુરેશી (ઉં.વ.૨૨) ને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને આપઘાત કર્યાના બનાવને લઈ તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જો કે યુવકે કયા કારણસર આપધાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

જ્યારે બીજો બનાવ કઠલાલ તાલુકાના પીઠાઈમાં બન્યો હતો. જેમાં પીઠાઈ રોનક ફેક્ટરી પાછળ રહેતા સંજયકુમાર રામાભાઈ પરમાર આજે સવારે ઘર આગળ તાર ઉપર સૂકવેલા કપડાં લેવા જતો હતો ત્યારે અચાનક કરંટ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી સંજયકુમાર પરમાર (ઉં.વ.૩૨)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

(5:37 pm IST)