Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નડિયાદના ચકલાસી નજીક લગ્નપ્રસંગે આવેલ સગીરાને ભગાડી જતા ચકચાર

નડિયાદ: તાલુકાના ચકલાસી રોહિતવાસમાં લગ્નપ્રસંગે આવેલ સગીરાને કોઈ શખ્સ ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના પાંડવણીયાનું રોહિત પરિવાર ચકલાસી રોહિતવાસમાં સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યું હતું. આ દરમિયાન તા.૯-૫-૧૮ની રાત્રી સમયે પાંડવણીયાની ૧૭ વર્ષના આશરાની સગીરાનો કોઈ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ સગીરાની શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી.

આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ઘરી છે.

(5:36 pm IST)