Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભ્રષ્ટાચાર સામેના જંગમાં એસીબીને વધુ એક ફતેહઃ ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી.કે.એસ.દેત્રોજાના જામીન ના મંજુરઃ મોટા મગર મચ્છોમાં ભારે ફફળાટ

રાજકોટઃ ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ગાંધીનગરની કચેરીના પૂર્વ મેનેજીંગ ડાયરેકટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજા, નાઓ વિરૂદ્ધ તા.૧૬-૪-૨૦૧૮ના રોજ અપ્રમાણસર મિલ્કત અંગે ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૭/૨૦૧૮ થી ગુનો દાખલ કરવામાં આવેલ.

જે ગુનાના કામે આરોપી કનૈયાલાલ સુંદરજી દેત્રોજાએ રેગ્યુલર જામીન મેળવવા નામદાર સેશન્સ જજ ગાંધીનગરની કોર્ટ ખાતે જામીન અરજી કરેલ, જે અન્વયે આજરોજ તા.૧૫ના રોજ નામદાર સેશન્સ જજ ગાંધીનગરની કોર્ટે જામીન  અરજી નામંજુર કરતા ઉચ્ચકક્ષાના ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફળાટ મચી જવા પામ્યો છે.

(8:51 pm IST)