Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ખંભાત તાલુકાના નેજા વળાંક નજીક એસટીની

ટક્કરે દંપતીનું ઘટનાસ્થળેજ મોત

ખંભાત:તાલુકાના નેજા ગામના વણાંક પાસે આજે પુરપાટ ઝડપે જતી એક એસટી બસે બાઈકને ટક્કર મારતાં દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર તારાપુર તલાટીની ખડકી ખાતે રહેતા વિશાલભાઈ દિનેશભાઈ શાહ તથા તેમના પત્ની વિકિતાબેન આજે એકાદ મહિના પહેલાં જ ખરીદેલ ડ્રીમ યુગા બાઈક લઈને ખંભાત પતંગો લેવા જઈ રહ્યા હતા. નેજા ગામના વણાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલે ખંભાતથી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ નંબર જીજે-૧૮, વાય-૨૫૯૦એ ટક્કર મારતાં બન્ને જણાં રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત જ સારવાર માટે ખંભાતની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને કારણે નવા નક્કોર બાઈકનો પણ ભુક્કો બોલી જવા પામ્યો હતો. આ અંગે ભાવીકકુમાર શાહની ફરિયાદને આધારે ખંભાત રૂરલ પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(5:34 pm IST)