Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજ્યમાં અનેક જિલ્લામાં કોરોના પ્રસર્યો : નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 44 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.091 :કુલ 8.16.770 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 4.10.463 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 9 કેસ, વડોદરામાં 7 કેસ, વલસાડ અને સુરતમાં 4-4 કેસ,જામનગરમાં 3 કેસ, કચ્છ, રાજકોટ અને સાબરકાંઠામાં 2-2 કેસ,ગાંધીનગર, મહેસાણા,અને નર્મદામાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 323 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 44 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 44 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.770 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.091 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.10.463 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.69.79.814 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 323 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 319  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.770 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.091 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 36 કેસમાં અમદાવાદમાં 9 કેસ, વડોદરામાં 7 કેસ, વલસાડ અને સુરતમાં 4-4 કેસ,જામનગરમાં 3 કેસ, કચ્છ, રાજકોટ અને સાબરકાંઠામાં 2-2 કેસ,  ગાંધીનગર, મહેસાણા,અને નર્મદામાં 1-1 કેસ નોંધાયો છે

(8:03 pm IST)