Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

દેશના સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ ની જાહેરાતઃ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

સુરતને બીજા ક્ર્મ મેળવવા બદલ શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા મેયર હેમાલી બોઘાવાલાને સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

સુરત: કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં સુરતને બીજા ક્ર્મ મેળવવા બદલ શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા મેયર હેમાલી બોઘાવાલાને સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સુરતની દેશભરમાંથી બીજો ક્રમ મળવા બદલ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ૬૦૦૦ માર્ક્સ રાખવામાં આવ્યા હતા જેમાંથી સુરતને ૫૫૧૯.૫૯ માર્કસ મળ્યા હતા.
નોંધનીય છે કે, સતત પાંચમી વાર મધ્યપ્રદેશનું ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ અમદાવાદ અને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનું બહુમાન છત્તીસગઢ રાજ્યે મેળવ્યું છે. 

(5:55 pm IST)