Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

નર્મદા જિલ્લામાં દેવ દિવાળી કાર્તિકી પૂનમે ભાદરવા દેવ મંદીરે દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દેવ દિવાળી કાર્તિકી પૂનમે ભાદરવા દેવ ઇષ્ટદેવ ભાથીજી મહારાજના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો ઇષ્ટદેવ ભાથીજી મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તો દૂરદૂરથી આસ્થા સાથે કાર્તિકી પૂનમે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ભાદરવા દેવ ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા.

શ્રદ્ધાળુ તથા ભાવિક ભક્તો ઢોલ નગારા સાથે કાગળના શણગારેલા ઘોડાઓ લઈ ઇષ્ટદેવ ભાથીજી મહારાજના મંદિરે ભાદરવા દેવ પહોંચ્યા હતા. ભક્તોએ માટીના ઘોડાઓ ભાથીજી મહારાજના મંદિરમાં ચઢાવી પોતાની માનતાઓ પૂરી કરી હતી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તથા આસપાસના વિસ્તારના હજારો ભાવિક ભક્તો પગપાળા કાર્તિકી પૂનમે ભાદરવા દેવ દર્શને આવી શ્રીફળ, ચુંદડી તથા ફૂલોથી ઈષ્ટદેવ ભાથીજી મહારાજ ની પૂજા કરી ધન્યતા મેળવી છે. ભાદરવા દેવ ખાતે શ્રદ્ધાળુઓ તથા ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

(10:03 pm IST)