Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સુરતના પાંડેસરા નજીક રીક્ષા પલ્ટી ખાતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પત્નીનું સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરમાં ભટારમાં રહેતા સંબંધીને મળવા જતી વખતે પાંડેસરામાં રીક્ષા પલ્ટી થતા ઇજા પામેલા દંપતિ પૈકી પત્નીનું સારવાર દરમિયાન ગઇ કાલે મોત નીંપજયુ હતુ.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેસ્તાન ખાતે એસ.એમ.સી આવાસમાં રહેતા 29 વર્ષીય ઇસરાઇલ સૈયદ તેમની પત્ની અજીમા (ઉ-વ-24) સાથે ઘર થી રીક્ષામાં ભટારમાં રહેતા સંબંધીને મળવા જતા હતા.તે સમયે પાંડેસરાના કૈલાશનગર ચોકડી પાસે રીક્ષા પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતિને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જયાં લાંબી સારવાર દરમિયાન અજીમાનું ગઇ કાલે બપોરે મોત નીંપજયુ હતુ.અજીમા મુળ મહારાષ્ટ્રના ઓરંગાબાદની વતની હતી.તેને એક  સંતાન છે.તેના પતિ રીક્ષા ચાલક છે.આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)