Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પોરબંદરના ખાંભોદર પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ : બરડા પંથકના આઠ ગામો પાંચ દિવસથી પાણીથી વંચિત !

પોરબંદરઃપોરબંદરના બરડા પંથકમાં આઠ ગામોને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોની હાલત કફોડી બની છે ખાંભોદર નજીક પાણીની પાઈપ લાઈન તુટતા આ પરિસ્થીત ર્સજાઈ છે.

  પોરબંદરના બરડા પંથકના આઠ ગામોને નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યુ છે.ખાંભોદરના વોકળામાં નર્મદાની પાઈપ લાઈન તુટતા તેનું સમારકામ થઇ રહ્યું છે જેના કારણે મજીવાણા, બગવદર, વાછોડા, ભારવાડા સહીતના આઠ ગામો છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બગવદરમાં હાલ કેટલાક  વિસ્તારામો અવેડા માંથી મહિલાઓને પાણી ભરવુ પડે છે.

   નર્મદાની પાણીની પાઈપ લાઈન તુટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વોકળમાં પાણી ભરાઈ જતાં સમારકામની કામગીરી ખોરંભ ચડી છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એ એવું જણાવ્યું હતું કે જુની પાઈપ લાઈન ર્જજરિત થઈ જતા આ વિસ્તારમાં નવી પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં પાણી પુરવઠો પૂવર્વત કરવામાં આવશે

 બરડ પંથકનાઆ આઠ ગામોને નર્મદાનું ત્રણથી ચાર એમએલડી પાણી આપવામાં આવી રહંયુ છે હજુ પાઈપ લાઈન રિપેરીંગમાં ત્રણથી ચાર દિવસ જેવો સમય લાગશે આથી લોકોને હજુ પણ તરસ્યા રહેવું પડશે.

(11:17 pm IST)