Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

આણંદના નાવલીમાં સાંજના સુમારે સગીરાને ભગાડી જવાના મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી

આણંદ: તાલુકાના નાવલી ગામે ગઈકાલે સાંજના સુમારે સગીરાને ભગાડી જવાના મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થતાં ત્રણને ચપ્પાના ઘા મારતાં તેઓને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સામા પક્ષે લાકડાના ડંડાથી માર મારીને બાઈકોની તોડફોડ કર્યાની ફરિયાદ આપતાં પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 
નાવલી ગામના લીમડીવાળા ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ચીમનભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો ભત્રીજો મહેશ ઉર્ફે શીવો નજીકમાં જ રહેતી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે મહેશ ઉર્ફે શીવાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી તે જામીન પર છુટ્યો હતો અને સગીરાની પાસે રહી ગયેલા પોતાના આધારકાર્ડ તેમજ એલસીની માંગણી કરીને ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખીને ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે વિપુલભાઈ પરમાર, સુરેશભાઈ તથા શૈલેષભાઈ તેમના ઘરે ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને વિપુલભાઈએ પોતાની પાસેના ચપ્પાથી હુમલો કરીને જયાબેન, પ્રિતેશભાઈ તથા ગોકુલભાઈને મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. બીજા શખ્સોએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઘવાયેલા ત્રણેયને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 

 

(5:47 pm IST)