Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વડોદરા :સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત : પાદરાના દરાપુરા ગામના આઘેડનું મોત મૃત્યુઆંક 18 થયો

 

વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક આઘેડનું મોત થયું છે. પાદરાના દરાપુરા ગામના એક આધેડનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ સાથે કુલ મૃત્યુઆંક 18 થયો હતો. જ્યારે પોઝિટિવ કેસ 125 નોંધાયા છે

  આ ઉપરાંત . શહેરમાં ડેન્ગ્યુ , ચિકનગુનિયા સાથે સ્વાઇન ફ્લૂનો વાવર ચાલે છે. રોજ નવા પોઝિટિવ કેસ ઉમેરાય છે. ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દરાપુરા ગામની 49 ‌વર્ષીય વ્યક્તિનું 18મીએ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઠંડીના પ્રારંભે જ સ્વાઇન ફ્લૂનાં દર્દીઓમાં વધારો થાય છે .

(12:47 am IST)