Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન યોજાયું :જિલ્લાના હોદેદારો -કાર્યકરો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર અને હાંસોટ વિધાનસભા કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો  જેમાં મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની કાર્યકરોને શુભકામના પાઠવી આગામી લોકસભાની ચૂંટણીમાં અત્યારથીજ કામ કરવા હાકલ કરાય હતી

  . અંકલેશ્વરની રમણ મુલજીની વાડી ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતવિસ્તાર કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અનીલ ભગત, પ્રદેશ આગેવાન દલપતસિંહ વસાવા, અરવિંદ દોરાવાલા જિલ્લા પ્રવક્તા નાજુ ફડવાલા, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુ પટેલ, શહેર પ્રમુખ જગતસિંહ વાંસદીયા, સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(12:38 am IST)