Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતના જહાંગીરપુરામાં બિલ્ડિંગમાં 11માં માળે કબૂતરને દાણા નાખવા ગયેલ શખ્સ અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઇજાથી મૃત્યુ

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ જહાંગીરપુરા ખાતે સમર્પણ હાઈટસમાં રહેતા 37 વર્ષીય હંસાબા અજીતસિંહ પરમાર સોમવારે સવારે બિલ્ડિંગના અગિયારમાં માળે ધાબા ઉપર કબૂતરને દાણા નાખતા હતા ત્યારે અચાનક નીચે પટકાતા ગંભીર ઈજા થતા મોતને ભેટયા હતા.

નોંધનીય છે કે હંસાબા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. તેમના પતિ નગર નિયોજન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)