Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતના ઉઘનામાં પતિએ પિયર જવાની ના કહેતા પત્નીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ઉધનામાં 5 દિવસ પહેલા ગળે ફાંસો ખાઈ ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે પતિએ તેને હાલમાં પિયર ઓરિસ્સા જવાની ના પાડતા તેને માઠું લાગી આવતા પગલું ભર્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીર નગરમાં રહેતા 26 વર્ષીય સવિતાબેન જીતેન્દ્રભાઈ નાયક ગત તારીખ 15 મી રાત્રે ઘરમાં પંખાના હૂક સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાઈ રહ્યા હતા ત્યારે અચાનક તેના પતિની નજર પડતા તેને નીચે ઉતારી સારવાર માટે તરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઈકાલે સાંજે તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે સવિતાબેન મૂળ ઓરિસ્સા ગંજામના વતની હતા તેમના લગ્ન થી સાત માસ પહેલા થયા હતા. તેમના પતિ સંખ્યા ખાતામાં નોકરી કરે છે જોકે તેમની પત્નીએ પતિને વતન જવા માટે કહ્યું હતું. જો કે પતિએ દિવાળી બાદ જવા કહ્યું હતું. જેથી તે આવેશમાં આવી નાસીપાસ થઈને પગલું ભર્યું હતું. અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)