Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બનાસકાંઠામાં વધતી ગુન્હાહિત પ્રવુતિ અટકવવા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક: કડક કાર્યવાહી કરવા સૂચના

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેખાઈએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી :મહિલાઓ પર વધતા જતા અત્યાચારો કઈ રીતે અટકાવવા તે માટે ખાસ ચર્ચાઓ

બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ગુનાહિત પૃવતિઓને અટકાવવા માટે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે એક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુનાહિત પૃવતિઓને ઘટનાઓને અટકાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

   જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ પર અત્યાચાર, હત્યા, આત્મહત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.જિલ્લામાં હાલમાં લોકો નજીવી બાબતમાં હત્યા કરી રહ્યા છે. તો ક્યાંક પ્રેમમાં ફસાઈ જઈ યુવક યુવતીઓ આત્મહત્યાની ઘટના તરફ જઈ રહ્યાં છે. તો ક્યાંક પોતાના પર પૈસાનું દેવું થઈ જતા મોત વ્હોરી રહ્યાં છે

   બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધતાં જતાં ગુનાહિત આ પ્રવૃતિને અટકાવવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેખાઈએ બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અવારનવાર બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને કઈ રીતે અટકાવી તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહિલાઓ પર વધતાં જતા અત્યાચારો કેવી રીતે અટકાવવા તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ બેઠકમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ,બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ,બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ તેમજ અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લામાં બનતી ઘટનાઓને કઈ રીતે અટકાવવી, આવી ઘટનાઓ ન બને તે માટે શું કરવું, ખાસ કરીને મહિલાઓ પર વધતા જતા અત્યાચારો કઈ રીતે અટકાવવા તે માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલાબેન દેસાઈ દ્વારા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

 

જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે.તેને જો અટકાવવી હશે તો તમામ ગુનાઓ કરનારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવી ઘટનાઓ અટકી શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે,યોજાયેલી બેઠક બાદ બનાસકાંઠા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. અને તેમની કાર્યવાહીથી કેટલા દિવસમાં ગુનાહિત પ્રવૃતિઓમાં ઘટાડો થાય છે.

(11:17 am IST)