Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઉઝબેકિસ્તાનમાં વિજયભાઈ રૂપાણીએ આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સદર સાહેબની અર્ધપ્રતિમાનું કર્યું અનાવરણ

ઉઝબેકીસ્તાને અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી : મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આજે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું. 

   તેમણે અંદિજાન ગવર્નરના આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું કે ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે

(7:36 pm IST)