Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

માંગરોળના પીપોદરામાં નહેરમાં પાણી પીવા ગયેલ ભેંસ પર વીજલાઇન તૂટી પડતા ઘટનાસ્થળેજ મોત

માંગરોળ: તાલુકાના પીપોદરા ગામે પશુપાલક ભેંસ ચરાવવા ગયો હતો ત્યારે ત્રણ ભેંસ માઈનોર નહેરમાં પાણી પીવા ઉતરી અને તે સમયે જ ઉપરથી પસાર થતી વીજલાઈનનો જીવંત વીજતાર તૂટીને પાણીમાં પડતા ત્રણેય ભેંસને વીજકરંટ લાગતા સ્થળ પર મોત થયા હતા.

પીપોદરા ગામે વિશ્વકર્મા નગરમાં કાનજી ભવાનભાઈ ખોડા (ભરવાડ) પરિવાર સાથે રહે છે. અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તે પોતાના મોટાભાઈ મનુભાઈની ૧૨ ભેંસો લઈ ગુરૂવારે પીપોદરા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણાકાંઠા માઈનોર નહેર પાસે ચરાવવા લઈ ગયા હતા. તમામ ભેંસો ઝાડી ઝાંખરાંમાં ચરતી હતી. તેમાંથી ત્રણ ભેંસો માઈનોર નહેરના પાણીમાં પાણી પીવા ઉતરી હતી. 

 

(5:50 pm IST)