Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

નડિયાદના મંજીપુરાની સીમમાં બંધ મકાનમાંથી તસ્કરોએ બંધ મકાનમાંથી 31 હજારની મતાની ઉઠાંતરી કરી

નડિયાદ: તાલુકાના મંજીપુરા સીમમાં રહેતો એક પરિવાર પોતાનું મકાન બંધ કરી બહાર નીકળ્યાં હતાં. જે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ઘુસી જઈ તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૩૧,૫૦૦ની મત્તાની ચોરી ગયા હોવાની ફરીયાદ નડિયાદ રૂરલ પોલીસમાં નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના અમિયાપુરાના વતની વિજયભાઈ વિષ્ણુભાઈ પટેલ હાલ પોતાના પરિવાર સાથે નડિયાદ તાલુકાના મંજીપુરમાં સીમ વિસ્તારમાં આવેલ શ્રી રામકુટીર સોસાયટીમાં રહે છે. ગત બુધવારના રોજ વિજયભાઈ પોતાનું ઘર બંધ કરી પરિવાર સાથે બહાર નીકળ્યાં હતાં. તે દરમિયાન તસ્કરો વિજયભાઈ પટેલના મકાનના રસોડાના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં પ્રેવશ કરી ઘરમાં મુકેલ તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.૩૧,૫૦૦ ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યાં હતાં. 

આ બનાવ અંગે વિજયભાઈ વિષ્ણુભાઈ પટેલની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે તસ્કરો સામે ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:45 pm IST)