Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી

વ્યાજે લીધેલા 41 હજાર સામે 2 લાખની વ્યાજખોરો માગણી કરતા હતા:ગેરેજ માલિકે 81 હજાર ચૂકવી દીધા હતા છતાં વ્યાજખોરો સતત ઉઘરાણી કરતા હતા : વ્યાજ ખોરોના વધતા જતા ત્રાસ સામે સરકાર જાગશે ?

સુરતઃ વ્યાજખોરોના ત્રાસથી સુરતના ડભોલીમાં  ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજે  લીધેલા 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે  કંટાળીને આપઘાત કરી લીધો છે.આત્મહત્યા કરનાર પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે.

તેમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, વ્યાજે લીધેલા રૂપિયા સામે પરસોત્તમભાઈએ 81 હજાર ચૂકવી દીધા હતા. પરંતુ વ્યાજખોરો પરસોત્તમભાઈ પાસેથી 2 લાખ પડાવવા માટે સતત ત્રાસ આપતાં હતાં, જેથી વધુ સહન ન થઈ શકતાં તેમણે આત્મહત્યા  કરી લીધી હતી.

પરસોત્તમમભાઇએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલી પતરાંવાળી રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે પરસોત્તમભાઈના પુત્ર અમિત દ્વારા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રમેશ રબારી અને દિનેશ રબારી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના અગ્રણી શહેરોમાં વ્યાજખોરોની ટોળકીનો આતંક વધી ગયો છે. દરરોજે કોઈને કોઈ વ્યક્તિ વ્યાજખોરોના આતંકથી મોતને  વ્હાલુ કરે છે. વ્યાજે રૂપિયા આપતી ગેંગ જ્યારે વધુ રૂપિયાની ઉઘરાણી કરે છે ત્યારે અનેક લોકો પર એવું દબાણ ઉભું થાય છે કે તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી.

પરસોત્તમભાઈએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં લખ્યું હતું કે,

સાહેબ, રમેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે. મેં દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. નહીંતર દુકાન વેચવા નહીં દઉં કહી દુકાન આગળ બેસી ગયા.”

શુક્રવારે દીપક ચંપકભાઈ જેઠવા તથા મેહુલ વિઠ્ઠલ દુકાન વાંધામાં હતી અમને ખબર નહોતી. રમેશભાઈ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક નો પડે. તારે ગમે તે પોલીસ પાસે જાઓ, મને કોઈ વાંધો નથી. દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે. દુકાન ખોલીશ તો હાથ પણ ભાગી નાખીશ. ડરના માર્યા મેં 40,000 રૂપિયા છ સપ્ટેમ્બરના શુક્રવારે સવારે 9-30 વાગ્યે આપેલા છે. દિનેશ રબારી અને રમેશ રબારી મારવાની ધમકી આપે છે.

(8:16 pm IST)