Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :

તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી) વિરમગામ એ.પી.એમ.સી.ના ચેરમેન તરીકે સહકારી આગેવાન લખુભાઇ ચાવડાની શુક્રવારે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેઓ વિરમગામ એ.પી.એમ.સી.ના ચેરમેન ઉત્તરોતર પ્રગતી કરતા રહે તથા ખેડુતોના હિતના કામ કરતા રહે તેવી શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. એપીએમસી વિરમગામ ખાતે વજુભાઈ ડોડીયા, રમેશભાઈ કોળી,  નવદીપભાઇ ડોડીયા, જગદીશભાઈ મેણીયા, ગીરીશભાઈ મોરી, ડાહ્યાભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરવાડ, જગદીશભાઈ કોળી, કનુભાઈ પટેલ, ભાઈરામભાઈ તળપદા,  અરજણભાઈ, કનુભાઈ કોળી, એપીએમસી ડિરેક્ટર્સ સહિત વિવિધ સમાજના સામાજિક અગેવાનોએ લખુભાઇ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા.

(5:23 pm IST)