Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજપીપળાના વિદ્વાન જ્યોતિષી તથા ગાયત્રી ઉપાસક સ્વ.ભરતભાઇ વ્યાસને શ્રદ્ધાંજલિ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રખર સમાજ સેવી ગાયત્રી ઉપાસક તથા વિદવાન જયોતીષી રાજપીપળાનું રત્ન એવા ભરતભાઈ વ્યાસનું  દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ને આ દુઃખદ સમયમાં સંવેદના માટે તા.19/09/ 2020 ને શનીવારના રોજ સાંજ 7:00 કલાકે આશાપુરી માતાના મંદિર ચોકમાં શોકસભા રાખી હતી જેમા ફળીયાના વડીલ શંકરભાઈ પટેલ,જનકભાઈ મોદી,વિદવાન કમૅકાન્ડી અતુલ ભાઈ પુરાણી, યોગેશગીરી મહારાજ, એડવોકેટ ઉત્કષૅ પંડ્યા, દિપકભાઇ ભટ્ટ, એડવોકેટ રૂપલબેન રામી,સહીત આશાપુરી યુવક મંડળના યુવાનો એ હાજર રહી સ્વ.ભરતભાઈ વ્યાસના જીવન કાયૅને યાદ કરી તેમને  શ્રધ્ધાંજલી આપી હતી

(9:18 pm IST)