Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નિકોટીનયુક્ત ચીજોમાં એક વર્ષ માટે પ્રતિબંધ

ગુટકા-તમાકુ, પાનમસાલા પર રોક

અમદાવાદ,તા.૨૦ : રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યોને ધ્યાનમાં રાખીને ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર તા.૧૧ સપ્ટેમ્બર, ર૦૧૯થી અમલમાં આવે તે રીતે  એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. કોઇપણ ખાધ ચીજમાં તમાકુ કે  નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી માનવ આરોગ્યને ખૂબજ હાનિકારક છે.

           પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુન્હો બને છે. આ ગુનાહિત કાર્ય કરતા તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા કોઇપણ વ્યક્તિ તંત્રના ધ્યાનમાં આવશે, તો તેઓની સામે ફુડ સેફટી સ્ટારન્ડ ર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-૨૦૧૨થી ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(9:55 pm IST)