Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વિરમગામના રામ મહેલ મંદિર ખાતે પ.પુ. શ્રી જગદીશદાસ બાપુની પુણ્યતિથીની ઉજવણી કરાઇ

વિશેષ પૂજા અને સાધુ સંતો સહીત ભક્તો માટે પ્રસાદનું આયોજન

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે પ.પુ.સાકેતવાસી મહામંડલેશ્વર ૧૦૮ શ્રી જગદીશદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે વિશેષ પુજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

  વિરમગામના રામ મહેલ મંદિરમાં સાધુ સંતો સહિત ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અને અનેક લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રામ મહેલ મંદિરના મહંત રામકુમારદાસ બાપુ સહિતના ભક્તોએ પ.પુ. જગદીશદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(7:03 pm IST)