Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં પરિણીતા સાથે નજીવી બાબતે ઝઘડો કરી સાસરિયાએ ત્રાસ ગુજાર્યો: ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

ગળતેશ્વર:તાલુકાના સેવાલિયા ગામમાં રહેતાં શનાભાઈ છોટાભાઈ હરિજનની પુત્રી જમનાબેનના લગ્ન પંચમહાલ જિલ્લાના કાલોલ ગામમાં રહેતાં રાજેન્દ્રભાઈ મોહનભાઈ કોન્ટ્રાક્ટરના પુત્ર તુષારભાઈ સાથે સન ૨૦૦૯માં જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. તુષાર-જમનાનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જેના ફળસ્વરૂપે તેઓને વેદાંત નામનો પુત્ર છે. લગ્ન બાદ સાસરીએ આવેલા જમનાબેન સાથે શરૂઆતના ત્રણ-ચાર વર્ષ સુધી સાસરીયાઓએ સારૂ વર્તન કર્યું હતું. જો કે તે બાદ પતિ તેમજ સાસરીયાઓએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. દારૂ પીને ઘરે આવતો પતિ તુષાર અવારનવાર પત્નિ જમનાબેન સાથે ઝઘડો કરી તુ અહીંથી જતી રહે, મારે તને નથી રાખવી અને મારો પુત્ર મારી સાથે જ રહેશે તેમ કહી ત્રાસ આપવા લાગ્યો હતો. અને જમનાબેન તેમજ તેમના પુત્ર વેદાંતનું ધ્યાન આપતો ન હતો. પતિ તુષાર અન્ય યુવતિ સાથે ફોન પર આખો દિવસ વાતો કરતો હોઈ જમનાબેન તેમના પતિને અવાનવાર ટકોર કરતાં હતાં. તે વખતે તુષાર તેની પત્નિ સાથે ઝઘડો કરતો હતો. તેમજ સાસુ પુષ્પાબેન પણ તેમના પુત્ર તુષારનું ઉપરાણું લેતાં હતાં અને મારા દીકરાને તારે કંઈ કહેવાનું નહીં, તે જેમ કહે તેમ તારે રહેવુ હોય તો રહેજે નહી તો દરવાજા ખુલ્લાં છે. તેમ કહી ઝઘડો કરી ગમેતેવા અપમાનજનક શબ્દોના પ્રયોગ જમનાબેન પર કરતાં હતાં. તેમજ પિયરમાંથી તુ કંઈ લાવી નથી તેવા મ્હેણાટોળા મારતાં હતાં.

(6:05 pm IST)