Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અંબાજીમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો :2.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજીના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામ ખાતે બુધવારથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉંમટી પડ્યો હતો. પ્રથમ દિવસે 2,50,244 ભક્તોઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી બાજુ મેળાના પ્રથમ દિવસે ભંડાર અને ગાદીની રૂ. 25,01,790 જેટલી આવક થઈ હતી.

(12:22 am IST)