Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આંકલાવના ઉમેટા પાસેની મહીસાગર નદીમાંથી વડોદરાના યુવકની લાશ મળતા ચકચાર

આંકલાવ : તાલુકાના ઉમેટા ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદીમાંથી આજે એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢીને તપાસ કરતાં મરણ જનાર યુવાનના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતુ. જેમાં લાયસન્સમાં નિકુલકુમાર અમરસિંહ પઢિયાર (ઉ. વ. ૨૨)રે. ગોરવા, વડોદરા)હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોનો સંપર્ક સાધ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મહીસાગર નદીના પ્રવાહમાં અનેક લાશો તણાઈ આવે છે સાથે સાથે પુલની બન્ને બાજુ જાળી ના હોવાને કારણે અહીંયાથી નીચે પડતું મૂકીને કેટલાય લોકો આત્મહત્યા કરી રહ્યા છે.

(4:35 pm IST)