Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સુરતના પીપલોદમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : કારણ અકબંધ

રત્નકલાકારની પુત્રી ભારતીમૈયા પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી

સુરતના પીપલોદ વિસ્તારમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે  આપઘાત કરનારી વિદ્યાર્થીની રત્નકલાકારની પુત્રી છે.

  જાણવા મળ્યા મુજબ કામરેજ વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિની ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી. તેના આપઘાતનું કારણ અકબંધ છે. તેણે હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

(11:36 am IST)