Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આણંદના રેલવે સ્ટેશન પરથી વૃદ્ધની લાશ મળી આવતા મોતનું રહસ્ય અકબંધ

આણંદ: શહેરના રેલવે સ્ટેશન ઉપરના પ્લેટફોર્મ નંબર ૪ પરથી એક ૬૫ વર્ષીય અજાણી વૃધ્ધાની લાશ મળી આવી હતી. તેમના જમણા હાથે જય ગીરનારી લખેલુ મળી આવ્યું હતુ અને શરીરે સાધ્વી જેવા સફેદ વસ્ત્રો પહેર્યા હતા . ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેમના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. પ્રાથમિક તપાસમાં તેમનું મોત ઝાડા-ઉલ્ટીના કારણે થયાનું કહેવાઈ રહ્યું છે. 

(6:43 pm IST)