Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પેટલાદના ભુરાઈ કુવામાં તીક્ષ્ણ હથિયારના ઘા જીકી આધેડની ક્રૂર હત્યા

પેટલાદ: તાલુકાના ભુરાકુઈમાં આવેલા રોહિતવાસમાં આજે સાંજના સુમારે આડા સંબંધના વહેમમાં આધેડની તી-ણ હથિયારના ઘા મારીને ક્રુર હત્યા કરી દેવામાં આવતાં નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પેટલાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને હત્યારાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ભુરાકુઈ ગામના રોહિતવાસમાં રહેતા મનુભાઈ ખુશાલભાઈ રોહિત (ઉ. વ. ૫૦) અપરણિત છે અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. નજીકમા જ રહેતી એક વિધવા મહિલા સાથે તેમને આડો સંબંધ બંધાયો છે તેવો વહેમ તેમના પુત્ર દિપકભાઈ રણછોડભાઈ રોહિતને થયો હતો. જેને લઈને બન્ને વચ્ચે બે થી ત્રણ વખત બોલાચાલી પણ થવા પામી હતી. દરમ્યાન આજે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે આ જ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થવા પામી હતી. દિપકે મનુભાઈને જણાવ્યું હતુ કે તુ મારી મમ્મી સાથે કેમ આડો સંબંધ ધરાવે છે ? કેમ મારી મમ્મીને હેરાન કરે છે ? તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મનુભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલો દિપક ઘરમાંથી દાંતી લઈ આવ્યો હતો અને મનુભાઈને માથામાં તથા શરીર પર બે થી ત્રણ જેટલા જીવલેણ ઘા મારી દીધા હતા જેથી તેઓ લોહી નીગળતી હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. 

(6:43 pm IST)