Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અમદાવાદનું સૌથી મોટું માધુપુરા બજાર શહેરની બહાર ખસેડાશે : પિરાણા પાસે નવું બજાર બનશે

જૂના માધુપુરાના વેપારીઓ અડાલજ નજીક નવું બજાર બનાવશે

અમદાવાદ : રાજ્યનું સૌથી મોટું અનાજ-કરિયાણાના માધુપુરા બજારને અમદાવાદ બહાર ખસેડાશે, નવું બજાર પિરાણા પાસે વિકસાવવામાં આવશે

અમદાવાદની માધુપુરા બજારને શહેરની બહાર ખસેડવાનો નિર્ણય કરાયો છે,આ નવું બજાર પિરાણા પાસે વિકસાવવામાં આવશે. નવા માધુપુરા એસોસિએસને નિર્ણય કર્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 32,000 વાર જમીનમાં બજાર બનશે. નવા બજારમાં 113 દુકાનો બનાવવાનું આયોજન કરાયું છે. ભારે ટ્રાફિક અને ગીચ વિસ્તારના કારણે માધુપુરામાં સમસ્યાઓ થતી હતી. એસો.એ એક બિલ્ડર સાથે નવા બજાર માટે જોડાણ કર્યું છે.બીજીતરફ  જૂના માધુપુરાના વેપારીઓ અડાલજ નજીક નવું બજાર બનાવશે. ગુજરાતમાં સૌથી મોટું અનાજ કરિયાણાનું બજાર માધુપુરામાં છે.

(9:45 pm IST)