Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુરતમાં સૈયદપુરાના કારીગરે ઝવેરીના 1 કરોડના દાગીના સહીત હીરાને તફડાવી છૂમંતર....

સુરત:શહેરના સૈયદપુરા નાગોરીવાડ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી દાગીના બનાવવાનું તેમજ પોલીશ કરવાનું કામ કરતો બંગાળી કારીગર કરોડો રૂપિયાનું દેવું થઇ જતા બે દિવસ અગાઉ નવ જ્વેલર્સના રૂ.૯૮.૫૧ લાખના દાગીના - હીરા લઈ સુરતમાં રહેતી પત્ની સાથે ફરાર થઇ ગયો હતો. બંગાળી કારીગરની બીજી પત્ની વતન પશ્ચિમ બંગાળમાં રહેતી હોય તે ત્યાં ગયો હોવાની શક્યતાને આધારે લાલગેટ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે કમલ પાર્ક સોસાયટી વિભાગ ૨ ધર નં.૧૯૬ માં રહેતા ૩૨ વર્ષીય પ્રકાશભાઈ મનસુખભાઈ નાકરાણી યોગીચોક શિવમંદિર શોપિંગ સેન્ટરમાં સહજાનંદ ગોલ્ડના નામે જ્વેલરી શોપ છેલ્લા ત્રણ વર્ષથી ધરાવે છે. 

(5:43 pm IST)